◆ મહાપુરુષોના સુવિચારો -ગુજરાતી સુવિચારો◆ - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Friday, March 4, 2022

◆ મહાપુરુષોના સુવિચારો -ગુજરાતી સુવિચારો◆

◆ જીવનમાં ઉપયોગી થાય તેવા મહાપુરુષોના સુવિચારો ◆

  સત્ય પર આપણે સૌ ચાલતાં રહીએ, પરમેશ્વરને ન ભૂલીએ અને સૌ પર પ્રેમભાવ રાખીએ.

◆ હરિ આગળ છે, હરિ પાછળ છે,જ્યાં આપણી શક્તિ ખૂટશે ત્યાં એ પ્રગટ થશે.

◆સૂક્ષ્મતર દોષો ધ્યાનથી, ભગવતપ્રસાદથી,શાંતિ, નિર્ભયતા અને નમ્રતાથી દૂર થશે.

◆પ્રાર્થનાનું રહસ્ય આત્માના ઊંડાણમાં લીન થઈ જવાના પ્રયાસમાં છે.

◆આપણી પ્રત્યેક કૃતિ છીણી બનીને આપણા જીવનરૂપી પથ્થરને ઘડતી રહે છે.એટલે નાનામાં નાની વાતમાં પણ સજાગ રહેવું જોઈએ.

◆પોતાને જાણવું, તે સૌથી મોટી જાણકારી છે,જે મનુષ્ય       માટે  જરૂરી છે.
◆મને શું મળે એ મુખ્ય વાત નથી,જોવાનું તો આટલું જ કે હું શું આપું ? જે સતત આપતો રહે છે,તેના આનંદની કોઈ સીમા નથી.

◆નિરંતર જાગૃત રહીને જે કોઈ ચિત્તની શુદ્ધિ કરતો રહેશે,તેના હાથે ઉત્તમ સેવા થશે.

◆જેનો દેહભાવ નાશ પામ્યો અને  જેણે પોતાની તમામ વાસના, ભગવાનને સોંપી દીધી,એના ઘરનાં કામ ભગવાન પોતે કરે છે.

◆પરમેશ્વરના ચિંતનથી ચિત્તનું ચૈતન્ય થઈ જાય છે.ભક્તિયોગમાં આનો અનુભવ થાય છે.

◆યોગ એટલે પોતાની જાતની મુલાકાત.દુનિયામાં આપણને ઘણાની મુલાકાત થાય છે, આપણી નહીં.

◆આપણા પર સૌ કોઈનો હક્ક છે, પરંતુ આપણો ઈશ્વર સિવાય બીજા કોઈના  પર હક્ક નહીં,આ વાત ધ્યાનમાં આવી જાય તો મનુષ્ય નિરંતર પ્રસન્ન રહેશે.

◆પરમેશ્વર થોડીક કસોટી કરે છે, વધારે નહિ,તેમાં તે ભાંગી પડ્યો,તો ભાંગી જ પડ્યો,જો બચી ગયો,તો પછી કરુણામયની કરુણા કામ કરવા માંડે છે.

◆આ દુનિયાનો ભાર આપણા પર નથી,એ તો જેની લીલા છે,તેના પર છે.આપણે તો આસપાસના વાતાવરણમાંજેટલી સુગંધ ફેલાવી શકીએ તેટલી ફેલાવવા પ્રયત્ન કરીએ.

◆હૃદયમાં રામ, મુખમાં નામ અને હાથમાં સેવાનું કામ- આજ છે આજની સાધના.

◆ભક્તિ અને અહંકારને ક્યારેય બને નહીં,ભક્તિમાં ઓછામાં ઓછી વાત છે અહંમુક્તિ, જ્યાં ' ખુદ ' ખતમ થાય,ત્યાં 'ખુદા' પ્રગટ થાય!

◆સત્ત-સંકલ્પ કરીએ,અવધિ નક્કી કરીએ અને કામે લાગીએ.


◆દુનિયામાં છે શું ? બે દિવસ તો રહેવું છે.વધુને વધુ પ્રેમ, સેવા અને ત્યાગ કરવો.

◆પ્રતિભા એટલે બુદ્ધિને સતત નવા નવા અંકુરો ફૂટે તે.નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ,જીવનની નવી દિશા આને કહીશું પ્રતિભા.

◆નિષ્ઠાની કસોટી ત્યારે થાય છે જ્યારે પોતાનાં સિદ્ધાંતો પર ચાલવા જતાં જોખમ દેખાય છે અને તકલીફ પડે છે.જેની સત્ય પર નિષ્ઠા છે,એ તો સત્ય માટે બધું સહન કરે છે.


◆જીવનની પ્રત્યેક કૃતિમાં- ખાવા-પીવામાં, બોલવામાં,રહેણી-કરણીમાં સંયમની આવશ્યકતા છે.

◆કોઈકની ઈચ્છા દબાવવી તેનાં કરતાં તેની ઈચ્છા પૂરી કરવામાં આવે તો  તેને આત્મસંતોષનો ઓડકાર આવે છે.

◆હું કોઈનો ઉદ્ધાર કરવાનો નથી, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે.◆उद्घेरदात्मनात्मानं नात्मानमवसादयेत

શ્રીમદ્દ ભગવદ્દગીતા અધ્યાય 6 શ્લોક 5

◆જેની જરૂર નથી તે ખરીદતા જ રહેશો તો જેની જરૂર છે તે પણ વેચવાનો વારો આવશે.-ચાણક્ય

◆ભૂલ કરો, પણ એકની એક તો નહીં જ ! -ઓશો રજનીશ



◆મિત્ર સાથે બેસવું સહેલું છે, પણ ઉભા રહેવું અઘરું છે.

◆બનો તો એવાં બનજો સાહેબ કે લોકો તમને છોડી શકે, પણ ભૂલી ન શકે ! 

◆હું મારી જાતનેદેશનો નેતા નથી માનતો પણ દેશનો સૈનિક માનું છું.

◆પોતાના માટે "રીયલ" બની જાવ બીજાના માટે આપો આપ "રોયલ " બની જશો.

◆ગરીબ સાથેનો નજીકનો સંબંધ પણ લોકો છુપાવે છે અને અમીર સાથેનો દૂર દૂરનો સંબંધ પણ લોકો રાડો નાખી નાખીને બતાવે છે.


◆જ્યાં લોકો તમને "દોડીને" નથી રોકી શકતાં ત્યાં લોકો તમને "તોડીને" રોકવાની કોશિશ કરતાં હોય છે!


◆પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો, મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે !

◆કોઈને મદદ કરવાની હરીફાઈમાં દોડજો,જીતી જશો, કારણકે ત્યાં ખૂબ ઓછા લોકો દોડે છે !


◆દિવસમાં એક વખત પોતાની જાત સાથે વાત કરો,નહીંતર તમે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો ! -સ્વામી વિવેકાનંદ

◆એકવાર અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચું તો દુઃખ થાય, અને  દુઃખમાં વાંચું તો સુખ થાય.ભગવાન શ્રીકૃષ્ણએ લખ્યું " આ સમય પણ જતો રહેશે "


◆ અહીંયા ક્લિક કરો અને પચાસથી વધુ શૈક્ષણિક વીડિયોની PDF ફાઈલ ડાઉનલોડ કરો ◆

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad